'નાટક'ના પ્રકાશનનું આ ૨૫મું વર્ષ છે(અંક (૧૦૦-૧૦૧, જુલાઈ - ડિસેમ્બર ૨૦૨૨)
સળંગ અંક 100-101, 2022
મિત્રો,
ગુજરાતી રંગકર્મીઓ અને ગુજરાતી નાટકના ચાહકો અને તમામ ગુજરાતી સાહિત્ય રસિકો માટે , નાટક ત્રિમાસિકના શતાબ્દી અંકનું પ્રકાશન એક ગૌરવશાળી ઘટના છે .
વીતેલા વરસોનાં નફા -તોટા માપવાનો, કે ફક્ત ભૂતકાળને વાગોળવાનો નહિ પણ આવનારા સમયમાં ગુજરાતી નાટ્યને, તેના મંચન - પ્રયોગોને , તેને લગતા સાહિત્યને અને દર્શકોના રસ - રુચીને ઉત્તેજવાનો અને સંતોષવાના હકારાત્મક પ્રયત્નો ને બળ આપવાનો આ સામયિકનો
અને'નાટક' ની ટીમનો ઉપક્રમ છે.
આને અનુરુપ જ નાટક ના આ સળંગ અંક ૧૦૦/૧૦૧માં આપ વાંચશો:
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠીત વરિષ્ઠ લેખક , ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રનું ખૂબ વખણાયેલું નાટક ' નક્કામો માણસ છે , નરસીં મે'તા',
લેખક, અભિનેતા અને નાટય ઇતિહાસકાર શ્રી મહેશ ચમ્પકલાલ ની કલમે મહાભારતના ખલનાયક દુર્યોધન નું અલગ દ્રષ્ટિકોણથી પુન: ચારિત્ર્ય આકલન,
ગુજરાતના અગ્રગણ્ય નાટય વિવેચક, પત્રકાર સ્વ.એસ.ડી .દેસાઈ દ્વારા વીતેલા અતિતના , હસમુખ બારાડી સાથેના , સહ- સંપાદક તરીકેના સુખદ સંભારણાનો લેખ,
ડૉ. રવિકાન્ત જોશી તરફથી નિયમિત વિભાગ , મરાઠી રંગભૂમિ અને મરાઠી નાટય સંગીત,
જનક રાવલ ની કલમે શેક્સપિયરના 'સિઝર ' નાટક પરથી હસમુખ બારડીનું નાટય નિર્માણ અને તેના સચિત્ર પુસ્તક 'હું જ સિઝર ને હું જ બ્રૂટસ છું' અંગે રસાસ્વાદ,
અમદાવાદની નાટય શિક્ષણ આપતી સંસ્થાઓ તથા નાટય પરફોર્મન્સ માટે લોકપ્રિય થિયેટરો ,જ્યાં શહેરનો યુવા વર્ગ કલાકાર તરીકે નાટકોની રજુઆત કરવાનું પસન્દ કરે છે અને દર્શક તરીકે નાટકો જોવાનું પણ પસન્દ કરે છે તેવી જગ્યાઓ અંગે નીરવ વેગડા અને યોગેશ ત્રિકમાણીનો નો માહિતીપ્રદ લેખ,
આ ઉપરાંત નાટય લેખન યોજના -૧૧ ની જાહેરાત સાથે વિવિધ નાટયવિષયોને આવરી લેતા શ્રી હિરેન ગાંધી , મન્વીતા બારાડી , નટવર પટેલ , રાજુ બારોટ , રાજેશ દાણી , નિર્લોક પરમાર , હરીશ કકવાણી , ડૉ. શૈલેષ ટેવાણી , નરવર આહલપરા, ડૉ. મધુસુદન વ્યાસ , કૌશિક સિંધવ , ડૉ. લેઈક હુસેન , પ્રા. જનક દવે અને ડૉ. કપિલ પટેલ જેવા સિદ્ધહસ્ત લેખકોતો ખરા જ !
વાંચો - વંચાવો... નાટક